મુસાફર જયંતિ ઠાકોરે એસટી બસ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણામાં જી્ બસમાં ચઢતા મુસાફરનો બસના ડ્રાઈવરની બેદરકારીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. બસના ટાયર પગ પર ફરી વળતા મુસાફર ઘાયલ થયો હતો. મુસાફરે જી્ બસ ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. બસ ચાલકોની બેદરકારીનાં ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના વિસનગરના ઉમતા ગામે બસ સ્ટેન્ડ આગળ જી્ ચાલકે બસ હંકારતા મુસાફર નીચે પટકાયો હતો. મુસાફર નીચે પટકાતા મુસાફરના બંને પગ ઉપર બસના ટાયર ફરી વળ્યાં હતા.
પગ ઉપર ટાયર ફરી વળતા મુસાફર ઘાયલ થયો હતો. મુસાફરે જી્ બસ ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. મુસાફર જયંતિ ઠાકોરે એસટી બસ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ સુરતમાં મ્ઇ્જી બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી હતી. બસમાં પ્રવાસ કરી રહેલા વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો ડ્રાઈવર પર આરોપ લગાવ્યો છે મળતી માહિતી પ્રમાણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે મ્ઇ્જી બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો આરોપ લગાવ્યો છે. બસમાં રહેલું સ્ટોપ બટન તૂટી જતા વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. બસની બહાર રહેલા વિદ્યાર્થીઓને ખબર પડતા વિરોધ નોંધાવ્યો હતો. એક વિદ્યાર્થીની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Recent Comments