અમરેલી

“માઁ ભગવતીના પ્રાગટ્યોત્સવ” દામનગર મોગલધામ ખાતે હક્ક ના તરવેડા દર્શન પૂજન અર્ચન મહાપ્રસાદ કરતા શ્રધ્ધાળુ ભાવિકો

દામનગર છભાડીયા રોડ મોગલધામ ખાતે શ્રી મોગલ માતાજીનો હક્કનો તરવેડો યોજાયો લાંગાવદરા પરિવાર આયોજિત ગઢવી પરિવાર ના આંગણે દક્ષિણ મુખ ના ઓરડે બિરાજતા મોગલ માતાજી તરવેડો ચૈત્ર સુદ-૧૩ ને, સોમવાર, તા.૩/૪/૨૦૨૩ ના રોજ યોજાયો હતો શ્રધ્ધાળુ ભાવિક સેવક સમુદાય દ્વારા આનંદોત્સવ થી મચ્છરાળી આઇ શ્રી મોગલ માં જન્મોત્સવ તરવડા શુંગાર દર્શન મહાપ્રસાદ નો ભવ્ય ધર્મલાભ મેળવતા દર્શનાર્થી ઓએ  માઁ ભગવતીના પ્રાગટ્યોત્સવના દિવ્ય અવસરે મોગલ ધામ દામનગરને આંગણે શ્રી મોગલ માતાજીનો હક્કનો તરવેડો નુ મંગલ પ્રાગટય પર્વ એ માંઇ ભક્તો એ કર્યા દિવ્ય શણગાર દર્શન માતાજીના તરવેડાના દર્શન અને મહાપ્રસાદ મેળવ્યો હતો લાંગાવદરા પરિવાર ના વિવેક એન ગઢવી શ્રી નીરૂદાન પી ગઢવી શ્રી જયદિપ એન ગઢવી શ્રી પ્રશીલ જે ગઢવી પરિવાર દ્વારા ભવ્ય તરવડા દર્શન ભોજન પ્રસાદ નું આયોજન કરાયું હતું.

Related Posts