માંગલ ધામ ભગુડા (તાલુકો મહુવા) ખાતે આજે આંખો ને લગતા તમામ રોગોનાં નિદાન માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં ૭૦૨ દર્દીઓની આંખની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી. તમામ દર્દીઓને વિનામૂલ્યે આંખના ટીપા અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ આંખના દર્દીઓમાંથી ૪૦ દર્દીઓ ને મોતિયાની શસ્ત્રક્રિયા માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના શસ્ત્ર ક્રિયા કરવા યોગ્ય 161 દર્દીઓને હવે પછી રાજકોટ ઓપરેશન માટે 29 તારીખે લઈ જવામાં આવશે. આંખના દર્દીઓ ના લાભાર્થે વિનામૂલ્યે યોજાયેલા નેત્રયજ્ઞને માંગલ ધામ ના મેનેજીંગ ટ્રસ્ટી માયાભાઈ આહિરે ખુલ્લો મુક્યો હતો. જેમાં બહોળા પ્રમાણમાં આજુબાજુના ગામોના દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ નો સહયોગ સાંપડ્યો હતો. નેત્રયજ્ઞ ને સફળ બનાવવા માટે મયુભાઈ કામળિયા, રામ ભાઈ કામળીયા, મધુભાઈ કામળિયા, દાદુભાઇ, લોમા ભાઈ કામળીયા તેમજ ટ્રસ્ટી મંડળ અને સેવક ગણ સક્રિય રહ્યો હતો.
માંગલ ધામ ભગુડા ખાતે આજે આંખો ને લગતા તમામ રોગોનાં નિદાન માટેનો કેમ્પ યોજાયો

Recent Comments