ભાવનગર

માઈધાર લોકવિદ્યાલયની મુલાકાત લેતા સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરી

પાલિતાણા પાસે માઈધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયની મુલાકાત સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરીએ લઈ વિદ્યાર્થીઓ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.
અહીં સાહિત્યકાર શ્રી રમેશ દવે અને શ્રી રામચંદ્રભાઈ પંચોળી જોડાયા હતા. સંસ્થાના શ્રી ભાવનાબેન પાઠકે અહીંની વિગતો આપી હતી. 
સંસ્થા પરિવારના શ્રી પાતુભાઈ આહીર તથા શ્રી એભલભાઈ ભાલિયા અને કાર્યકરો દ્વારા સુંદર આયોજન થયું હતું. અહીંયા લોકભારતીના શ્રી કાંતિભાઈ ગોઠી તથા શ્રી નિગમભાઈ શુક્લ પણ જોડાયા હતા.

Related Posts