ભાવનગર

માતૃભાષા મહોત્સવ અંતર્ગત વાળુકડ ખાતે મંગળવારે કવિ સંમેલન

વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વાળુકડ ખાતે મંગળવારે કવિ સંમેલન આયોજન થયું છે.

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી રસિકલાલ ધારીવાલ કોલેજ વાળુકડના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા.૨૧ સવારે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન આયોજન થયું છે.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે પ્રેરક અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા દ્વારા માર્ગદર્શન તથા મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવના સંકલન સાથે અહી સંસ્થાના અગ્રણી શ્રી નાનુભાઈ શિરોયા મુખ્ય અતિથિ રહેશે.

સંયોજક શ્રી દિનેશ વાજાના સંકલન સાથે કવિગણ શ્રી કૃષ્ણ દવે, શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ, શ્રી વિશાલ જોષી તથા શ્રી નેહા પુરોહિત દ્વારા રચનાઓ રજૂ થશે.

Related Posts