અમરેલી

માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન-મુંબઈ (સાવરકુંડલા વાળા) દ્વારાસાવરકુંડલામાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ, અનાજ-કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું

સાવરકુંડલા મા ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન-મુંબઈ (સાવરકુંડલા વાળા) દ્વારા સાવરકુંડલા શહેરના જરૂરિયાતમંદ લોકોને  જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ સાથે રાશન કીટનું વિતરણ કરવા આવ્યું હતું.  ખેતાણી પરિવાર દ્વારા ચાલતા ૩ છાશ કેન્દ્રમાં આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા શહેરના  જરૂરિયાતમંદ ૧૪૦૦ પરિવારને છેલ્લા છ વર્ષથી  વિનામૂલ્યે નિયમિત છાશનું વિતરણ કરવામાં આવે છે. તે લાભાર્થીઓને આ સહાય મધ જેવી મીઠી લાગી હતી.

સાવરકુંડલા શહેર માં આવેલ શ્રી તાત્કાલીક હનુમાનજી આશ્રમ તેમજ શ્રી ઉતાવળા હનુમાનજી મંદિર અને શ્રી જલારામ મંદિર ખાતે નિયમિત છાશ  કેન્દ્ર ચાલે છે  સાથોસાથ વર્ષમાં ધાર્મિક પર્વ પર કરિયાણાની કીટ નું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્ર ના સંપૂર્ણ લાભાર્થી  વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા જરૂરિયાતમંદ લોકોને માનવ સેવાના આ મહાયજ્ઞમાં રાશન કીટનું વિતરણ કરવા આવ્યું હતું. મુરબ્બી લલ્લુભાઈ શેઠ ના સાથીદાર લોક સેવક હીરાભાઈ મગિયા ના પુત્ર પ્રફુલભાઈ મગિયા જેઓ નૂતન કેળવણી મંડળ તેમજ સાવરકુંડલા ગૌશાળા ના ટ્રસ્ટી અને ખેતાણી પરિવારના પરમ મિત્ર કે જેઓ હાલ મુંબઈ રહે છે, તેઓ સાવરકુંડલા આવી તમામ છાશ કેન્દ્રો ની મુલાકાત લીધેલ. તેમની સાથે ઠાકરશીભાઈ સુદાણી, મુકુંદભાઇ નાગ્રેચા,  રજનીભાઈ ઘેલાણી-ધારી અને વરિષ્ઠ પત્રકાર પ્રદીપભાઈ દોશી તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં આ કીટનું વિતરણ કરવામાં આવેલ.

Related Posts