મધ્યપ્રદેશમાં પણ કોરોનાના હાહાકારે એવી સ્થિતિ સર્જી છે કે, હોસ્પિટલોમાં હવે માનવતા પણ શર્મસાર થઈ રહી છે.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજન વગર એક કોરોના દર્દીનુ મોત થયુ હતુ. હોસ્પિટલ તંત્રનુ કહેવુ હતુ કે, દર્દીની હાલત પહેલેથી જ ખરાબ હતી પણ હકીકત એ છે કે, સીસીટીવી ફૂટેજમાં હોસ્પિટલનુ જુઠ્ઠાણુ પકડાઈ ગયુ હતુ. ફૂટેજમાં દેખાઈ રહ્યુ હતુ કે, રાત્રે પોતાના પુત્ર સાથે વાત કરીને સુરેન્દ્ર નામના દર્દી સુઈ જાય છે. એ પછી એક વોર્ડ બોય રુમમાં આવે છે અને સુરેન્દ્રના બેડ પાસેથી પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર હટાવીને લઈ જાય છે. એ પછી સવારે પાંચ વાગ્યે ઓક્સિજનના અભાવે દર્દી તરફડિયા મારવા માંડે છે અને તેનુ મોત થઈ જાય છે.
મરનારના પુત્રે કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં કોઈએ મારા પિતાને ઓક્સિજન આપ્યો નહોતો. હું જ્યારે સવારે વોર્ડમાં પહોંચ્યો ત્યારે મારા પિતા તરફડિયા મારતા હતા. મને સ્ટ્રેચર ના મળ્યુ તો હું મારા પિતાને ઉંચકીને આઈસીયુમાં લઈ ગયો હતો.જ્યાં તેમનુ મોત થયુ હતુ.
દરમિયાન હોસ્પિટલના ડોક્ટરે કહ્યુ હતુ કે, દર્દીનુ હિમોગ્લોબિન ૬ ગ્રામ રહી ગયુ હતુ અને તેમને ઓક્સિજનની જરુર રહી નહોતી. એટલે નર્સના કહેવા પર વોર્ડબોયે બીજા દર્દીને ઓક્સિજન આપવા માટે મશિન હટાવ્યુ હતુ. જાેકે હોબાળાના પગલે એક તપાસ સમિતિ બનાવીને તપાસ શરુ કરાઈ છે.
Recent Comments