ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી નારાયણો માટે શિક્ષક ની ત્રણ વર્ષ દરમ્યાન પાંચ લાખ સખાવત સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ અને કાર્યરત એવી તદ્નન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી તા.ઉમરાળા જી.ભાવનગર માં ચાલતા નિ : શુલ્ક આરોગ્ય લક્ષી સેવા કાર્યથી પ્રભાવિત એવા શિહોરના વતની અને નિવૃત શિક્ષક શ્રી સુંદરજીભાઈ માવજીભાઈ વાઢેર આજરોજ હોસ્પિટલની મુલાકાતે પધાર્યા હતા તેમના પિતાશ્રી સ્વ માવજીભાઈ આણંદજીભાઇ વાઢેર ની ૨૫ મી પુણ્યતિથિ નિમિત્તે દર્દીઓને સહાયરૂપ થવાના શુભાશયથી રૂા .૧,૫૧,૦૦૦ / – અંકે રૂપિયા એક લાખ એકાવન હજા૨ પુરા તેમજ તેઓની જન્મતિથિ તા ૯/૨/૨૦ નાં રોજ હોવાથી ગુરૂકૃપા અનક્ષેત્રમાં રૂા .૧૫,૦૦૦ / – અંકે રૂપિયા પંદ૨ હજા૨ પુરા નાં અનુદાનના ચેકો હોસ્પિટલનાં મંત્રીશ્રી બી.એલ. ૨ાજ૫૨ા અને એડમીનીસ્ટ્રેટ૨ શ્રી પ્રશાંતભાઈ પંડયાને અર્પણ કરીને એક પ્રેરણાદાયી અને ઉદાહરણીય દાખલો બેસાડેલ છે . આજરોજ આ ત્રીજી વખત આપણી હોસ્પિટલને આજ પ્રકારે અનુદાન આપેલ છે . ટ્રસ્ટી મંડળે તેઓનો ખુબ ખુબ આભાર માની તેઓશ્રીને બ્ર.પ.પૂ.સદગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં (જીવન ચરિતામૃત ગ્રંથ) અને શાલ થી સન્માનિત કરવામાં આવેલ છે
માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને પિતા ની પુણ્યતિથિ એ શિક્ષક ની દર્દી નારાયણો માટે પ્રેરણાદાય સખાવત

Recent Comments