અમરેલી

માનવ મંદિર આશ્રમ-સાવરકુંડલા ખાતે 115 બેડની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે, અમરેલીના સાંસદ
નારણભાઈ કાછડીયાનાં પ્રયત્નો અને પુ. ભક્તિરામબાપુની ભાવના થકી માનવ મંદિર આશ્રમ-સાવરકુંડલા
ખાતે કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે.


આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા, પુ.
ભક્તિરામબાપુ, લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન
પુનાભાઈ ગજેરા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, નગરપાલિકા પ્રમુખ
રાજુભાઈ દોશી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, તાલુકા પંચાયત પ્રમુખ લલિતભાઈ
બાળધા, પ્રવીણભાઈ કોટીલા, પરાગભાઈ ત્રિવેદી, રાજેશભાઈ નાગ્રેચા અને ધર્મેન્દ્રભાઈ
ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ તકે લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ જણાવેલ હતું કે, માનવ મંદિર દ્વારા માનવ
સેવા કાયમી થતી આવી છે ત્યારે વર્તમાનમાં ભક્તિરામબાપુની ભાવના, સાંસદ નારણભાઈ
કાછડીયાના પ્રયત્નો અને ડૉ. વોરા સાહેબની સેવાના ત્રિવેણી સંગમ થકી આજે કુંડલા ખાતે કોવિડ
હોસ્પિટલ કાર્યરત થયેલ છે.

Related Posts