ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે ૯૦ લાખ ની સખાવત સમસારા ગ્રુપ ના ઓઝા પરિવાર ની ઉદારતા

ઉમરાળા તા.૧૭ ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ માં દર્દી કલ્યાણ માટે ઉદારતા ન.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીછ મહારાજની પ્રેરણા, કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત એવી તદ્ન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી સંપૂર્ણ વાકેફ એવા ભાવનગરમાં વતની મુંબઇ સ્થીત ગૃપ પ્રેસીડેન્ટ એન્ડ CEO ઓફ સમસારા ગૃપ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ તેમના ધર્મપત્ની હિનાબેન ઓઝા, મોટાભાઇ ભરતભાઈ ઓઝા (IAS), દુબઇ શ્થીત તેમના મિત્ર યાસીનભાઇ વકિલ તથા તેમના ધર્મપત્ની શહેનાઝબેન વકિલ, તાહેરભાઇ અને રામભાઇ કાંબડ તા.૧૬-૦૩-૨૦૨૨ ના રોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. સ્થાનિક ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતું.શ્રી મુકેશભાઇ ઓઝા સાહેબ તથા મહેમાનો એ હોસ્પિટલના તમામ વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખૂબજ પ્રભાવિત થયા હતા. તેઓએ આજરોજ ઓપરેશન થીએટરના સાધનોના માટે તેમજ ગુરૂકૃપા અન્નક્ષેત્ર માટે કુલ રૂા. ૯૦.૦૦૦૦૦/- અંકે રૂપિયા નેવું લાખ થી વધુ માતબર રકમનું અનુદાન અર્પણ કરેલ છે. તેમજ ભવિષ્યમાં હોસ્પિટલના કોઇપણ નવા વિભાગો માટે ઘણી મોટી રકમનું અનુદાન આપવાની ઇચ્છા વ્યકત કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ સમસારા ગૃપ દ્વારા હોસ્પિટલમાં ચાલતા ગુરૂકૃપા અન્નક્ષેત્ર માટે રૂા.૨૫.૦૦૦૦૦/- અંકે રૂપિયા પચીસ લાખ પુરા નું અનુદાન પ્રાપ્ત થયેલ છે. સમસારા ગૃપ ના CEO આદરણીય શ્રી મુકેશભાઇ ઓઝા સાહેબ તથા શ્રીમતિ હિનાબેન ઓઝા ને હોસ્પિટલના પૂર્વ પ્રમુખશ્રી ખીમજીભાઇ દેવાણી અને મંત્રી શ્રી બી. એલ રાજપરા તેમજ ઉપપ્રમુખ શ્રી રસીકભાઈ ભીંગરાડિયા, ખજાનચી શ્રી લવજીભાઈ નાકરાણી અને ટ્રસ્ટીશ્રી પરેશભાઈ ડોડિયા એ વિશેષ સન્માનપત્ર, પુષ્પગુચ્છ, શાલ અને પુસ્તકો અર્પણ કરી સન્માનિત કર્યા હતા.તેમજ સાથે આવેલ મહેમાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલને મોટી કમની સખાવત કરનાર ઉદારદિલ દાતાશ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ તથા તેમનાં પરિવારજનોનો હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતી હયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.

Related Posts