રાષ્ટ્રીય

માનહાનિના કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલ, ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની પર લગાવ્યો હતો આરોપ

ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડો. મેઘા સોમૈયાએ સંજય રાઉત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ મામલે મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સંજય રાઉતને 15 દિવસની સાદી જેલની સજા ફટકારી છે. અને 25 હજારનો દંડ કર્યો છે.મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે 15 એપ્રિલ 2022 અને ત્યારબાદ સંજય રાઉતે મીડિયામાં અયોગ્ય નિવેદનો કર્યા હતા. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતા માટે ફેલાવવામાં આવ્યા હતા.

Related Posts