ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બાબરા પો.સ્ટે . ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૧૦/૨૦૦૮ , ઇ.પી.કો. કલમ ૩૨૩ , ૩૨૪ , ૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ તા .૦૫ / ૦૨ / ૨૦૨૩ ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પીઠડીયા ગામેથી મજકુર લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
→ પકડાયેલ આરોપીની વિગતઃ ધીરૂભાઈ જીવરાજભાઇ ઉર્ફે જીવાભાઇ જીંજુવાડીયા , ઉં.વ .૬૦ , રહે.મુળ ગામ નવાણીયા , તા.બાબરા , જિ.અમરેલી હાલ રહે.પીઠડીયા , તા.ગોંડલ , જિ.રાજકોટ .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ , મનિષભાઇ જોષી , પોપટભાઇ ટોટા તથા પો.કોન્સ . રાહુલભાઇ ધાપા , નિકુલસિંહ રાઠોડ , ભાવિનગીરી ગૌસ્વામી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments