ભાવનગર

‘મારી શાન, મારી જાન, તિરંગો છે મારું અભિમાન’- ક્રિકેટર ચેતન સાકરીયા

ભારતીય ક્રિકેટ ટીમમાં હસમુખા ક્રિકેટર તરીકે જાણીતાં અને ભાવનગરનું ઘરેણું એવાં શ્રી ચેતન સાકરીયાએ આઝાદીના અમૃત પર્વે સૌ ભારતવાસીઓને પોતાના ઘર, કચેરી પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરવા માટે અપીલ કરી છે.તેમણે તેમના સંદેશમાં જણાવ્યું છે કે, તિરંગો એ તેમની શાન, જાન અને અભિમાન છે.ભારતીય ક્રિકેટ ટીમમાં તેમની રમવા માટે પસંદગી થઈ તે ક્ષણ તેમના માટે મહત્વપૂર્ણ હતી તેમ જણાવીને તેમણે કહ્યું કે, ક્રિકેટમાં જ્યારે જીત થાય ત્યારે હાથમાં ભારતીય તિરંગો હોય છે તેનું અભિમાન જ કંઈક અલગ હોય છે.

Related Posts