અમરેલી માર્કેટયાર્ડની ચુંટણીમાં કુલ–૧૬ સીટોની ચુંટણી તા.૧૩.૦૬.ર૦રર નાંરોજ નિયામકશ્રી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુ.રા. ગાંધીનગર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી ચુંટણી જાહેર થયેલ જેમાં ખેડૂત વિભાગની–૧૦, વેપારી વિભાગની–૪ તથા તેલીબીયા વિભાગની–ર સીટો આમ કુલ–૧૬ સીટો માટેની આ ચુંટણી અતર્ગત માર્કેટયાર્ડ અમરેલીનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી બાકી હોય જે આજરોજ કરવામાં આવી હતી. ચેરમેન તરીકે શ્રી શૈલેષભાઈ સંઘાણી રે. અમરેલીની દરખાસ્ત શ્રી પી. પી. સોજીત્રાએ મુકેલ અને તેને શ્રી જીગ્નેશભાઈ કાબરીયાએ ટેકો આપેલ હતો.
વા. ચેરમેન તરીકે શ્રી સુરેશભાઈ રોકડ રે. અમરેલીની દરખાસ્ત શ્રી શંભુભાઈ દેસાઈ મુકેલ અને તેને ટેકો શ્રી જયેશભાઈ નાકરાણીએ આપેલ હતો બીજા કોઈ ડીરેકટરનું ચેરમેન અને વા. ચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હતુ. માત્ર એકજ ચેરમેનશ્રી તરીકે શૈલેષભાઈ સંઘાણીનું ફોર્મ આવતા અને વા. ચેરમેન તરીકે શ્રી સુરેશભાઈ રોકડનું ફોર્મ આવતા ચુંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રારસાહેબ, સહકારી મંડળીઓ, બોટાદ શ્રી એ. એમ. સિધ્ધપરાસાહેબે ચેરમેન તરીકે શ્રી શૈલેષભાઈ સંઘાણી અને વા.ચેરમેન તરીકે શ્રી સુરેશભાઈ રોકડને બિનહરિફ ચુંટાયેલ જાહેર કરેલ હતા. ચેરમેનશ્રી તરીકે શ્રી શૈલેષભાઈ સંઘાણી અને વા.ચેરમેન તરીકે સુરેશભાઈ રોકડ બિનહરીફ ચુંટાતા તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી તેઓને વધાવી લીધેલ હતા. બજાર સમિતિના ડીરેકટરશ્રીઓ, કર્મચારીઓએ તેઓને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
Recent Comments