અમરેલી

મિશન મંગલમ તેમજ યોજના અતર્ગત ખાંભા તાલુકા પંચાયત ખાતે અમૃત મહોત્સવ ની ઉજવણી

આજ રોજ તાલુકા પંચાયત કચેરી ના મીટીંગ હોલમાં અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે  ચેક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ,  જેમાં ડી.એલ.એમ.શ્રી છાયાબેન ટાંક દ્વારા સખી મંડળમા જોડાવાથી મળતા લાભો, નારી શક્તિ વિશેનું મહત્વ, યોજનાનો મુખ્ય ઉદેશ્ય સ્વસહાય જુથ તેમજ જુથની બહેનોના ૫રિવારના સભ્યોને નાના-મોટા ઉદ્યોગ સાહસિક તરફ વાળી અને રૂા.૫૦૦૦૦/- સુઘીની લોન આપી પોતાનો રોજગાર-ઘંઘો શરૂ કરી શકે, આર્થિક રીતે ૫ગભર બની શકે, સમાજમાં સ્વમાનભર જીવન જીવી શકે જેવી મહત્વની યોજનાવિષયક માહીતી આપી. તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન નરેન્દ્રભાઇ ફિંડોલિયા દ્વારા એસ.વી.ઈ.પી. યોજનાની બી. આર.સી.બહેનોની અને સમગ્ર સ્ટાફની કામગીરી બિરદાવી હતી  બહેનો આત્મનિર્ભર બંને તે માટે પણ જિલ્લાના ચેરમેન તરીકે અર્થાક પ્રયત્ન કરશે તેવી બાહેધરી આપી હતી ,ત્યારબાદ બી. આર.સી.પ્રમુખ શોભનાબેન શિયાળ દ્વારા એસ.વી.ઈ.પી. વિશે વિસ્તુત માહિતી આપી હતી,  ખાંભા તાલુકા મા છેલ્લા ૪ વર્ષ થઇ ચાલતા SVEP યોજના અતર્ગત 32 લાભાર્થીઓ ને મંજુર થયેલ લોન ની રકમ ના ચેક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. 

Related Posts