રાષ્ટ્રીય

મુંબઈ એટીએસ દ્વારા ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડતમામ બાંગ્લાદેશી આરોપી ગુજરાતનાં સુરતમાં રહેતા હોવાનું બતાવીને પુરાવા ઊભા કર્યાનું તપાસમાં ખુલ્યું

મહારાષ્ટ્રના મુંબઈમાં એંટિ ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ) દ્વારા ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઘૂસણખોરોએ લોકસભા ચૂંટણીમાં ખોટા પાસપોર્ટના આધારે પુરાવા ઉભા કરીને મતદાન કર્યું હતુ. પોલીસ તપાસમાં મહત્વની વાત જાણવા મળી હતી કે તમામ બાંગ્લાદેશી આરોપી સુરતમાં રહેતા હોવાનું બતાવીને ખોટ દસ્તાવેજો અને પુરાવા ઊભા કર્યા હતા. ખોટા પાસપોર્ટના આધારે સાઉદી અરેબિયામાં એક આરોપી નોકરી માટે ગયો હોવાના પણ પુરાવા પોલીસને મળ્યા છે.

આ ચારે આરોપીઓના આતંકી કનેક્શન અંગે હાલ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પણ મહત્વની વાત તો તે છે કે અગાઉ પણ આ ચારેય આરોપીઓની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરાઇ હતી અને બાદમાં તેમના જામીન થયા હતા તે પછી પણ આ ચારેય ઘૂસણખોરો દ્વારા વધુ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિક તરીકે ગુજરાતના સુરતમાંથી બનાવટી દસ્તાવેજો મેળવીને મુંબઈમાં રહેતા હતા. બાકીના પાંચ ફરાર પૈકી એક બાંગ્લાદેશી ભારતમાંથી નકલી દસ્તાવેજો બનાવીને સાઉદી અરેબિયા ગયો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે એટીએસ દ્વારા આઇપીસીની કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૩૪ અને ભારતીય પાસપોર્ટ એક્ટની કલમ ૧૨ (૧એ) હેઠળ કેસ નોંધ્યો છે.

રિયાઝ હુસૈન શેખ, ઉંમર- ૩૩
સુલતાન સિદ્દીક શેખ, ઉંમર- ૫૪
ઈબ્રાહીમ શફીઉલ્લા શેખ, ઉંમર- ૪૬
ફારૂક ઉસ્માન ગની શેખ, ઉંમર- ૩૯

Related Posts