રેશ મહેતા એટલે વિદ્યા ગુરુ ફાઉન્ડેશનનો પ્રાણ… નિખાલસ મન, નિર્દોષ ચહેરો, મૃદુવાણી,૭૦ વરસે ગજબની સ્ફૂર્તિ, જેમ જેમ વયનો આંકડો વધતો જાય તેમ તેમ આ માણસ મનથી, શરીરથી, સેવાનાં વિચારોથી યુવાન થતો જાય છે. સમગ્ર વિશ્વમાં પોતાનાં વિદ્યા ગુરુ માટે, આવી ગુરુદક્ષિણા આપી હોય તેવો એકપણ કિસ્સો સાંભળવામાં નથી. ઍટલે વિદ્યા ગુરુ ફાઉન્ડેશન સંચાલિત જે મલ્ટી ઓપરેશનલ…various treatment facilities ધરાવતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જે તદ્દન નિશુલ્ક છે, અરે હોસ્પિટલમાં CASH COUNTER જ નથી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાનને પાત્ર છે.
આ હરેશ મહેતા આવતી ૨૬ માર્ચે ૭૦ વર્ષ પોતાની જિંદગીમાંથી બાદ કરી ચૂક્યા હશે. હવે આ માણસનાં મગજ ઉપર જાણે માત્ર ને માત્ર દિન દુઃખિયાની ચિંતાજ ઘૂમતી રહે છે. એટલે પોતાના ૭૧માં જન્મ દિવસને પણ દર્દી નારાયણની સેવા માટે, એક અતિ પવિત્ર સંકલ્પ કર્યો છે કે, બર્થ ડે નિમિત્તે કોઈએ ગિફ્ટ માં કોઈ વસ્તુ ન આપવી પણ જે મિત્રો, સગા, સ્નેહીઓ બર્થ ડે નિમિતે જો કંઈ આપવા ઇચ્છતા હોય તો, એક રૂપિયા થી માંડીને પોતાની શક્તિ અનુસાર, વિદ્યા ગુરુ ફાઉન્ડેશન નાં નામનો ચેક જ આપે વળી આ તમામ ચેક પૂ. મોરારીબાપુ નાં ચરણે સમર્પિત કરી પછી પૂ. બાપુ નાં હસ્તે ટ્રસ્ટને સોંપશે.
હરેશભાઈ ને પૂરેપૂરો ભરોસો છે કે, આ રકમ એકાદ કરોડ સુધી તો પહોંચશે જ. સાવરકુંડલાના ઇતિહાસમાં કુંડલાની ઘરતીએ સમયે સમયે અજોડ મહાપુરુષો આપ્યા છે, સૌ પ્રથમ બાપુ જોગીદાસ ખુમાણ, ત્યારબાદ શેઠ લલ્લુભાઈ, જો સાવરકુંડલાના ઇતિહાસ માં થી ફકત એક શેઠનું નામ બાદ કરી નાંખીએ તો, સાવરકુંડલા માં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર નાં નામે શૂન્ય રહી જાય, આ યાદીમાં ભાઈ તરિકે નવીનચંદ્ર રવાણી કે જેમણે સાવરકુંડલા નાં ઘર વિહોણા બેઘર અત્યંત ગરીબ પરિવારો ને મફત પ્લોટ ઉપરાંત મકાન ચણવા સુધરાઇ તરફથી મફત પાણી અને રેતી પણ પૂરી પાડી.
ત્યાર પછી પીરે તરિક્ત દાદાબાપુ એટલે હિંદુ મુસ્લિમ વચ્ચે ની એકતાની મજબૂત સાંકળમાત્ર દેશ જ નહિ પરંતુ દુનિયાનાં મુસ્લિમ દેશોમાં પણ જેમનું મુઠી ઊંચેરુ સ્થાન છે. સાવરકુંડલામાં જો હિન્દુ મુસ્લિમ કોમી એખલાસ જળવાતો હોય તો તે દાદાબાપુને આભારી છે. તેમણે તમામ સમાજમાથી વ્યસન દૂર થાય તે માટે સતત ઝુંબેશ ચલાવી.. અને છેલ્લે હરેશ મહેતા… જેમણે સારવાર ફ્રી, દવા ફ્રી, ઓપરેશન ફ્રી, ડાયાલિસિસ ફ્રી, એક્સરે ફ્રી,લેબ ટેસ્ટ ફ્રી, કોઈપણ પ્રકારની ઈમરજન્સી 24X7 ફ્રી. દર્દી અને સાથે રહેલા ને બે સમય જમવાનું પણ ફ્રી. અરે આટલું ઓછું હોય તેમ પોતાની માલિકીની કાપડની મીલોનાં શો રૂમ સાવરકુંડલામાં 2 અને અમરેલી, રાજુલા માં એક એક ખોલ્યા ઉચ્ચ ક્વોલિટીનું કાપડ એકદમ વ્યાજબી ભાવે અને આ કાપડ વેચાણમાંથી જે કંઈ નફો થાય તે હોસ્પિટલમાં દાન પેટે જમાં કરાવી દેવાનો. સમાજસેવા અને દર્દીઓ માટે જાણે ઈશ્વરે પોતે ન આવી શકતા પોતાનો દૂત મોકલ્યો હોઈ એવું લાગે છે.
Recent Comments