જીસીએસ મેડિકલ કોલેજના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા મુખમંત્રીએ જણાવ્યું હતું કે, “પદવીદાન સમારોહ એ ખરેખર તો શિક્ષણનો અંત નહિ પરંતુ વ્યવસાયિક ઘડતરની સાથેસાથે સમાજ સેવાનો આરંભ છે. એટલું જ નહિ પરંતુ તમે સૌ વિદ્યાર્થીઓ તબીબ તરીકે ઓળખાવવાના છો ત્યારે સમાજમાં તમને પ્રાપ્ત થયેલી નવી ઓળખ એ જ સમાજના ભલા માટે ઉપયોગી બનશે એ પણ એટલુ જરૂરી છે. ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શકય નથી. ત્યારે જ્ઞાનનો સમાજહિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે.” તબીબી વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે. દર્દીઓ ડોક્ટરને ભગવાન સ્વરૂપ માને છે. આજના યુવાનો પાસે ભારતની આવતીકાલ ઘડવાની સુવર્ણ તક છે.
આજના યુવાનને મોકો મળશે એટલે તે જગત સાથે સ્પર્ધા કરવાનો જ છે. એટલે યુવાનો માટે તકોનું આપણે નિર્માણ કરવાનું છે”. આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝીક્યુટીવ ચેરમેન અને ઝાયડસ લાઇફસાયન્સિસના ચેરમેન પંકજભાઈએ કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે કોવિડ ૧૯નો સમય ખુબ ચેલેંજીંગ હતો. એ સમય દરિમયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને પદવી પ્રાપ્ત કરી છે એ ખરેખર સહારનીય છે. તેમણે કહ્યું કે, આજનો દિવસ તમારા માટે એટલા માટે પણ યાદગાર છે કેમ કે હવે જીસીએસનું નામ આગળ રોશન કરવાના છો. આ અવસરે પંકજભાઈએ જી.સી.એસ મેડિકલ કોલેજની સ્થાપના કેવી રીતે થઈ અને ગુજરાત સરકાર દ્વારા કેવી રીતે મદદ કરવામાં આવી હતી તે વિશે પણ વાત કરી હતી. આ અવસરે જીસીએસ મેડીકલ કોલેજના ડીન યોગેન્દ્ર મોદીએ પદવી પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, જીસીએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલે તેની ૧૧ વર્ષની સફરમાં ઘણું હાંસલ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આ વિદ્યાર્થીઓએ કોવિડ મહામારીમાં પણ સતત કામ કરીને સમાજમાં એક સારું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજના પદવીદાન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને એમબીબીએસના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. તેમજ આ સૌ યુવા તબીબો પોતાના જ્ઞાનનો ઉપયોગ કારકિર્દી ઘડતરની સાથે સમાજના જરૂરતમંદ લોકોના કલ્યાણ માટે પણ કરે તેવી શુભેચ્છા પાઠવી. જીસીએસ મેડિકલ કોલેજના એમબીબીએસની ૨૦૧૬ની બેચનો પદવીદાન સમારોહ ૨૫મી એપ્રિલના રોજ સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંકજ પટેલ (ચેરમેન – જીસીએસ), પદ્મશ્રી ડો. પંકજ શાહ (ઉપપ્રમુખ – જીસીએસ), ક્ષિતિશ મદનમોહન (ઉપપ્રમુખ – જીસીએસ), પ્રશાંત કિનારીવાલા (માન. જનરલ સેક્રેટરી), દિવ્યેશ રાડિયા (માન. સેક્રેટરી), કૌશિક પટેલ (માન. સેક્રેટરી) અને જીસીએસની મેનેજમેન્ટ ટીમે હાજરી આપી હતી. કોરોના મહામારીને કારણે જીસીએસ મેડિકલ કોલેજનો પદવીદાન સમારોહ બે વર્ષ બાદ યોજવામાં આવ્યો હતો.
Recent Comments