ગુજરાત

મુખ્યમંત્રીનાં હસ્તે વીર શહીદ મહિપાલસિંહના પરિવારજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વીર શહીદ મહિપાલસિંહના પરિવારજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ શહીદ વીરના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને જઈને આ ચેક તેમના પરિજનોને આપ્યો હતો. શહીદના પરિવારજનોની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ શહીદ મહિપાલસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા-સુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય બાબુસિંહ જાદવ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. જવાન મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા હતા. શહીદોના પરિવારે સહકાર બદલ રાજ્ય સરકાર અને રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે રૂ. ૨.૭૫ કરોડની સહાય પ્રાપ્ત થશે.

Related Posts