અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમરેલીથી ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાયપર અને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદરા ગામના પ્રવાસ બાદ અમરેલીના એરપોર્ટ ખાતેથી ગાંધીનગર જવા વિદાય લીધી હતી.

મહત્વનું છે કે, આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમરેલી એરપોર્ટ પર ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રીની વિદાયવેળાએ અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી ડૉ. ભરત બોઘરા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી દિવ્યેશભાઇ વેકરીયા, શ્રી અર્જુનભાઇ દવે, શ્રી રામભાઇ સાનેપરા સહિતના પદાધિકારીશ્રીઓ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts