જામનગરના આરોપીને છોડી મુકવા ઝ્રસ્ર્ંના ઓફિસરનું નામ આપવાનું ભારે પડ્યુ છે. પોલીસને ફોન કરી આરોપીએ મુખ્યમંત્રી કાર્યાલયનો હવાલો આપ્યો હતો. આરોપીએ સાયબરના ગુનામાં પકડાયેલાઆરોપીને છોડવાની ભલામણ કરી હતી. નિકુંજ પટેલ નામના શખ્સે મુખ્યમંત્રી કાર્યાલયના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી હતી. આરોપી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આ અગાઉ રાજકોટના વોર્ડ નંબર-૫ના ભાજપના મહિલા કોર્પોરેટર વજી ગોલતરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઓળખ ભાજપના કોર્પોરેટર તરીકે આપી હતી. ઘટનાની વાત કરીએ તો, ગત ૨ જુલાઈના રોજ સંતકબીર રોડ મંછાનગર શેરી નંબર ૧૦માંથી કચરાના ઢગલામાંથી માનવભ્રુણ મળી આવ્યું હતું. જે મુદ્દે મહિલા કોર્પોરેટરના પતિ કવા ગોલતરે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપવી શખ્સને ભારે પડીઆરોપીએ સાયબરના ગુનામાં પકડાયેલા આરોપીને છોડવાની ભલામણ કરી હતી

Recent Comments