મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત અમરેલી શહેર અને તાલુકા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી તાલુકાની ૦૪ અને શહેરની ૦૪ સહિત વિવિધ ૧૩ સંસ્થાઓને, પશુ નિભાવ ખર્ચ પેટે ૯૧ દિવસના રુ.૪૯,૦૫,૮૧૦ ચૂકવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સંસ્થાઓ દ્વારા ગાય, ભેંસ વર્ગના રાખવામાં આવતા હોય તો તે સંસ્થાઓને પશુઓના નિભાવ અર્થે પશુદીઠ પ્રતિદિન રુ. ૩૦ની સહાય ચૂકવવામાં આવે છે. બેઠકમાં અમરેલી તાલુકા મામલતદારશ્રી નિમાવત, અમરેલી શહેર મામલતદારશ્રી બાવીસા, અમરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રી ખસેટીયા, અમરેલી તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ડૉ. ગોસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી તાલુકા પશુ ચિકિત્સા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાઃ અમરેલી તાલુકા અને શહેરની ૧૩ સંસ્થાઓને રુ. ૪૯,૦૫,૮૧૦ પશુ નિભાવ ખર્ચ ચૂકવવામાં આવ્યો

Recent Comments