પટનામાં ફરી એકવાર પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલાના કારણે મોત સામે લડી રહેલા માસૂમ બાળકની એમ્બ્યુલન્સ લગભગ એક કલાક સુધી થંભી ગઈ હતી. માસુમ બાળકના પરિવારજનોએ આજીજી કરી કે બાળક બેભાન છે અને જાે તેને સમયસર સારવાર નહીં મળે તો તેનું મોત થશે. પરંતુ, પોલીસકર્મીઓએ તેમની વાત ન સાંભળી અને એમ્બ્યુલન્સને રોકી દીધી. માસૂમ બાળકના પરિવારજનોનું કહેવું છે કે તેઓ બાળકોને ફતુહાની ખાનગી હોસ્પિટલમાંથી પટનાની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે મુખ્યમંત્રીના કાફલાની સાથે તમામ વાહનોને રોકી દીધા.
આ ઘટના ફતુહા પોલીસ સ્ટેશન વિસ્તારના રેલવે ઓવર બ્રિજ પાસે બની હતી. વાસ્તવમાં, મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમના ગૃહ જિલ્લા નાલંદાથી ઇથેનોલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરીને રાજધાની પરત ફરી રહ્યા હતા.
તેમના કાફલાના પસાર થવામાં કોઈ ભૂલ ન થાય તે માટે પોલીસકર્મીએ તમામ વાહનોને અટકાવ્યા હતા. આમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. માસૂમ બાળકની માતા પોલીસકર્મીઓને મદદ માટે આજીજી કરતી રહી. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સને જવા દેવી જાેઈએ. પરંતુ, તેમના શબ્દોની અવગણના કરવામાં આવી હતી. જાે કે, આ મામલે પટનાના ટ્રાફિક એસપીએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તમામ પોલીસકર્મીઓને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
તે જ સમયે, બીજેપી આ મામલે બિહાર સરકાર પર સવાલો ઉઠાવી રહી છે.
લગભગ એક મહિના પહેલા પણ આવું જ બન્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમાર ૨૧ ઓગસ્ટની સાંજે ગંગા પથનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા. તેમના કાફલા માટે પોલીસકર્મીઓ દ્વારા એમ્બ્યુલન્સને અટકાવવામાં આવી હતી. તે સમયે પણ દર્દીના પરિવારજનો એમ્બ્યુલન્સ ન રોકવા માટે આજીજી કરતા હતા પરંતુ પોલીસે તેમની વાત સાંભળી ન હતી. જ્યારે સીએમ નીતિશ કુમારનો કાફલો પસાર થયો ત્યારે એમ્બ્યુલન્સને લાંબા સમય સુધી રોકી દેવામાં આવી હતી. જે બાદ એમ્બ્યુલન્સને ત્યાંથી રવાના કરવામાં આવી હતી.
Recent Comments