મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત વડાપ્રધાન, ગૃહમંત્રી ની ઉપસ્થિતિ અને પ્રવાસને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ૧૯૮૧ના કાયદા હેઠળ LPG ગેસ ડિલરોને વિતરણ-વેચાણ માટે પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. જેનો આશરે ૧૦૦૦ જેટલા એલ.પી.જી ડિસ્ટ્રિબ્યુટર્સને લાભ મળશે • વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તા. ૨૮ મે-૨૦૨૨ના રોજ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે જે દરમિયાન જસદણ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ તેમની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે “સહકારથી સમૃદ્ધિ’ જાહેર કાર્યક્રમ યોજાશે. • કેન્દ્રના ૮ વર્ષ નિમિત્તે તા.૩૧મી મે ના રોજPMની ઉપસ્થિતિમાં સિમલામાં કાર્યક્રમ યોજાશે જેમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૧મો હતો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. ‘હર ઘર ત્રિરંગા” હેઠળ તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ઉજવણી કરાશે. કેન્દ્ર સહિત વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની ઉપસ્થિતિમાં તા.૧ અને ૨ જૂને નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહજી તા.૨૯ મે ના ગુજરાતના પ્રવાસે આવશે અને વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. આ તમામ બાબતોને લઇને મળેલી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળની કેબિનેટ માં નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ છે મહત્ત્વના નિર્ણયો

Recent Comments