ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સનાતન ધર્મ બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સનાતન ધર્મ સંદર્ભે બેઠક બેઠક મળી ગઈ, જેમાં સનાતન ધર્મ સંસ્થાનનાં હોદ્દેદાર સંતો દ્વારા સાંપ્રત ચર્ચા થઈ છે. સનાતન ધર્મ સેવા સંસ્થાન ભારત અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક મળી ગઈ. આ બેઠકમાં સંસ્થાન રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી મૂકતાનંદબાપુ સાથે હોદ્દેદાર સંતો દ્વારા ધર્મ સંસ્કૃતિ બાબત સંવાદ થયો.

આ બેઠકમાં સ્વામી શ્રી બ્રહ્મચારીજી દ્વારકા, ગુજરાત એકમ અધ્યક્ષ શ્રી શેરનાથબાપુ, મહામંત્રી શ્રી લલિતકિશોરબાપુ લીંબડી, ખજાનચી શ્રી રામેશ્વરબાપુ હરિયાણી અને સભ્યો શ્રી સત્યપ્રકાશ સ્વામી ગઢડા, શ્રી વિજયબાપુ સતાધાર, શ્રી નિર્મળાબા પાળિયાદ, શ્રી ભાગવતઋષીજી, શ્રી નિજાનંદ સ્વામી, શ્રી વાસુદેવ મહારાજ પીપળી તથા શ્રી ભઈલુબાપુ પાળિયાદ વગેરે સામેલ થયાં હતાં. સનાતન ધર્મ સંદર્ભે અગાઉ લીંબડી, જૂનાગઢ, સુરત અને ત્રંબા રાજકોટમાં સંમેલનો યોજાયાં હતાં જેમાં શાસ્ત્રો સાથે ધાર્મિક ઐતિહાસિક તથ્યો અને આસ્થા સાથે થઈ રહેલ ચેંડા અને સંસ્કૃતિ વિરોધી હાનિકારક રીતે કહેવાતી ધાર્મિક સંસ્થાઓની પ્રવૃત્તિ સામે રોષ રહેલો છે, ત્યારે રાજસત્તા અને ધર્મસત્તાની આ બેઠક મહત્વની રહેલ છે.

Related Posts