સૌરાષ્ટ - કચ્છ

મેંદરડાના સમઢીયાળા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગોએ કોરોનાના મૃતકોને ઋષિપંચમીના પાવન દિવસે આપી પુષ્પાજંલી

જૂનાગઢ ના મેંદરડા ના સમઢીયાળા ગામે શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ મનોદિવ્યાંગ આશ્રમ ના મુક બધીરો એ કોવિડ ના મૃતકો ને આપી પુષ્પાજંલી ઋષિ પંચમી ના પાવન દીને દિવંગત આત્મા ની શાંતિ માટે ખરા હદય પૂર્વક ની પ્રાર્થના કરતા મનોદિવ્યાંગો જેને દુનિયા ની જાતિ ધર્મ સંસ્કૃતિ ભાષા ના કશા ભેદ નું ભાન જ્ઞાન પણ નથી તેવા હરિ ના બાળકો એ પુરી શ્રધ્ધાભાવ થી કોરોના ના તમામ મૃતક દિવંગત આત્મા ને સાત્વિક ઉપવાસ થી ઋષિ પંચમી ના પાવન પર્વ નું ઉત્તમ ફળ દિવંગત આત્મા ના કલ્યાણ માટે અર્પણ કર્યું આ તકે સંસ્થા ના પ્રમુખ મંત્રી સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ સદસ્યો અને તબીબ સ્વયંમ સેવકો ની ઉપસ્થિતિ માં આ નાનકડો પણ નાવીન્ય સંવેદના વ્યક્ત કરતો કાર્યક્રમ શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાય ગયો 

Related Posts