ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન – નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે યોજાયેલ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મેગા વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત તાલુકા શાળા ખાતે શરુ કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રી પટેલએ વેક્સીન લેવા આવેલા નાગરિકો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જાગૃત નાગરિક તરીકે આપણે સૌ વેક્સીન લઈને કોરોના સામેનો જંગ જીતી શકીશું અને આપણી આસપાસના કુટુંબીજનોને પણ બચાવી શકીશું. વેક્સીન લીધા બાદ આપણે પોતે તો સુરક્ષિત થઈએ જ છીએ અને સાથે સાથે સમાજમાં ફેલાતો ચેપ પણ અટકાવી શકીએ છીએ. વધુમાં મંત્રીશ્રીએ તાલુકા શાળા ખાતે ઉપસ્થિત આરોગ્યકર્મીઓ અને મેડિકલ ઓફિસરનો આભાર વ્યક્ત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નોંધનીય છે કે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે જિલ્લાના ૮૨,૫૦૦ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના વ્યકિતઓ મતદાર યાદી મુજબ જિલ્લાની કુલ વસ્તી ૧૨,૩૩,૦૮૨ અને ૧૮ ઉપરના ૮,૨૫,૮૩૧ એટલે કે ૬૬.૯૭% લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮+ ઉપરના સેકન્ડ ડોઝ આપેલ વ્યકિતઓનું થયેલ રસીકરણ સંખ્યા ૨,૮૭,૫૭૦ એટલે કે ૩૬.૦૦% જેટલી છે. જિલ્લાના કુલ ૪૧૬ રસીકરણ કેન્દ્રો ઉપર ૮૩૨ જેટલા આરોગ્યકર્મીઓ, ૧૩૬ મેડીકલ ઓફિસર અને ૯૩ સુપરવાઇઝર સમગ્ર મહાઅભિયાનમાં જોડાશે.
Recent Comments