રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. કોરોનાની બીજી લહેરમા સતત પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જાેવા મળી રહ્યો છે. હદ તો એ વાતની છે કે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલમાં બેડ નથી તેવા જવાબ મળતા પરંતુ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોન કરવાથી પણ બેડ ફૂલ છે એવો જવાન મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજકોટમાં મેડિકલ કટોકટી સર્જાય તો નવાઇ નહીં. એક દર્દીના સગાએ સિવિલના કંટ્રોલરૂમમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે હાલ ૧૦૦થી ૧૫૦ દર્દીનું વેઇટિંગ ચાલી રહ્યું છે, તમારે આવવું હોય તો આવી જાવ વારો ક્યારે આવે તે અમે કહી ન શકીએ.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતા જીતુભાઇ જાેષી નામના આધેડનો ગત ૧૦ એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેઓ હોમ આઇસોલેટ થયા હતા. જાેકે ગુરુવારની રાત્રે ઓક્સિજન લેવલ ઓછું થઇ જતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોન કરી બેડ અવેલેબલ છે કે કેમ તે અંગે કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. જે ફોનનો જવાબ સાંભળી દર્દીના પરિવારજનો પણ ચિંતામાં મૂકાઇ ગયા હતા.
સિવિલ હોસ્પિટલના કંટ્રોલરૂમમાં ફોન કરતા તેઓએ જવાબ આપ્યો હતો કે, હાલ સિવિલ હોસ્પિટલમાં બેડ ફૂલ છે. હાલ ૧૦૦થી ૧૫૦નું વેઇટિંગ છે. સારવાર માટે સમય લાગશે કે નહીં તે અંગે કંઇ નક્કી કહી શકાય એમ નથી. તો શું ત્યાં સુધી રાજકોટનું તંત્ર અને આરોગ્ય વિભાગ દર્દીઓને સારવાર નહિ પુરી પાડી શકે? હવે આ વાત સાંભળ્યા બાદ તો વહીવટી તંત્ર અને રાજકારણીઓએ શરમ કરવી જ જાેઇએ .પરંતુ આ જાડી ચામડીના લોકોના પેટનું પાણી હલતું નથી અને બીજી બાજુ દર્દીઓ હેરાન થઇ રહ્યાં છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે.
Recent Comments