મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શુક્રવારે ફેસબુક પર લાઈવ થયા હતા. જ્યારે તેઓ લાઈવ થયા ત્યારે લોકોને લાગ્યું કે તેઓ વીકેન્ડ કરફ્યૂની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, આપણે કોરોનાને હરાવવા માટે નજીક છીએ પરંતું અત્યારની સ્થિતિને જાેતા ક્યાંય પાછા જતા રહ્યા છીએ. રાજ્યમાં કોરોનાના કેસ, મૃત્યુદર સતત વધી રહ્યો છે અને કોરોના બેકાબૂ બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી છે તેમજ કેટલાક સરકારી ર્નિણય, હોસ્પિટલોની પૂરતી વ્યવસ્થા પણ જરૂરી છે.
મુખ્યપ્રધાને કહ્યું, મેડિકલ, પેરામેડીકલ સ્ટાફ જીવના જાેખમે લોકોની સેવા કરી રહ્યો છે. પરિવારની પરવા કર્યા વિના સેવા કરી રહ્યા છે, જે ખરેખર સરાહનીય છે. કેટલાકે પોતાના જીવ પણ ગુમાવ્યાં છે. તેમ છતાં એક વર્ષથી થાક્યા વિના સતત કામ કરી રહ્યા છે. એક વર્ષથી તેઓ સામાન્ય જીવન નથી જીવી રહ્યા. મેડિકલ, પેરામેડીકલ સ્ટાફે ૩ લાખ ૨૦ હજારથી વધુ દર્દીને બચાવી ઘરે મોકલ્યાં છે.
વિજય રૂપાણીએ કહ્યું, આપણે તો કોરોના સામે લડાઈ લગભગ જીતી ગયા હતા, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં કેસ વધી રહ્યા છે. ત્યારે વેક્સિન જ હથિયાર છે. આ ઉપરાંત બીજી આશા આપણા ડોક્ટર છે. કોરોના જરૂરથી હારશે અને ગુજરાત જીતશે. પરંતુ તેની વિપરીત પરિસ્થિતિ જાેઈએ તો ડોક્ટરોને પણ લેખિતમાં સરકારને જાણ કરવી પડી રહી છે કે, ઓક્સિજન ખુટી રહ્યા છે, ઓક્સિજનના અભાવે હોસ્પિટલોમાં લોકો દમ તોડી રહ્યા છે. કેટલાક ડૉકટરો જીવ બચાવવા બ્લેકમાં ઓક્સિજન ખરીદી રહ્યા છે. જેથી કેટલીક જરૂરિયાતો સરકારે પૂરી કરવી જ રહી.
Recent Comments