ભાવનગર

મેરી કહાની મેરી ઝુબાનીઘોઘા તાલુકાના ‘ધ્યેય સખી મંડળ’ને સરકાર દ્વારા મળ્યો રૂ. ૧૫ હજારના રિવૉલવિંગ ફંડનો

સરકાર મહિલાઓની આર્થિક સ્થિતિ સુદ્રઢ કરવા અને તેમની કળાને વેગ આપવા અનેક યોજનાઓ દ્વારા સખી મંડળોને પ્રોત્સાહન આપી રહી છે. આવું જ એક ‘ધ્યેય સખી મંડળ’ ઘોઘા તાલુકામાં ૪ વર્ષથી કાર્યરત છે. મંડળ સાથે સંકળાયેલા રસીકબા ચુડાસમા જણાવે છે કે મંડળની તેમની ૧૦ બહેનો ૨૦૦ રૂપિયા જમા કરી બચત કરે છે. તેઓ સખી મંડળ તરીકે ભરતગૂંથણ અને સિવણ કાર્ય કરે છે. આ સખી મંડળને સરકારશ્રી તરફથી ૧૫ હજારની રિવૉલ્વિંગ ફંડની સહાય મળી છે તે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.

Related Posts