કુતિયાણા તાલુકાનાં મૈયારી ગામે કમીઆઇનાં મંદિર નજીક આવેલું બેઠું પુલીયું જર્જરીત હાલતમાં જોવા મળી રહયું છે. અહીંથી પસાર થતાં વાહન ચાલકો માટે આ બેઠો પુલ જોખમી બની રહયો છે. તેમનું તાત્કાલીક નવિનીકરણ કરવાની માંગણી કોંગ્રેસનાં અગ્રણીઓએ કરી છે. કુતિયાણા તાલુકાનાં મૈયારી ગામથી ૩ કિમી દુર ડેરી તરીકે પ્રખ્યાત અને કમીઆઇ માતાજી મંદિર નજીક વર્ષો જુનું પુલીયું આવેલું છે. આ પુલીયું એટલી હદે જર્જરીત થઇ ગયું છે કે પુલની નીચેના ભાગે સળીયા દેખાઇ રહયાં છે. તેમજ તેમાંથી પથ્થરો પણ તૂટી રહયાં છે. આ રસ્તાનું લોકો ઉપયોગ કરતાં હોય ત્યારે આ પુલ ગમે ત્યારે ધરાશાઇ થાય તેવી સ્થિતિ તેનું તાત્કાલીક નવીનીકરણ કરવા કોંગ્રેસનાં આગેવાન નાથાભાઇ ઓડેદરા અને કેશુભાઇ પરમારે માંગણી કરી છે. કુતિયાણા તાલુકાનાં મૈયારી ગામે કમીઆઇનાં મંદિર નજીક આવેલું બેઠું પુલીયું જર્જરીત હાલતમાં જોવા મળી રહયું છે
મૈયારી ગામ નજીક બેઠુ પુલીયું ગંભીર હદે જર્જરીત, ગમે તે સમયે સર્જી શકે છે અકસ્માત

Recent Comments