ભાવનગર

મોટાસુરકા અમરકૃષિ ખેડૂત સંસ્થાની વાર્ષિક સભા

સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે તેમ વાત થઈ. સિહોર તાલુકામાં કાર્યરત અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી. સંસ્થાનાં પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ વાઘાણીનાં અધ્યક્ષસ્થાને આ સભામાં અગ્રણીઓએ સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ આ સંસ્થાની વિગતો સાથે વાર્ષિક હિસાબો રજૂ થયાં, તેઓએ લીંબુ તથા સરગવાની વ્યાપાર પ્રક્રિયા સાથે ક્રમશઃ સંસ્થાનાં વિકાસ માટે સક્રિય બનવાં જણાવ્યું. અગ્રણીઓ દ્વારા તેમનાં સંબોધનમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે તેમ વાત થઈ. વિવેકાનંદ સંસ્થાનાં શ્રી મનુભાઈ ચૌધરીએ વૈજ્ઞાનિક ખેતી સાથે વ્યાપારી અભિગમ પર ભાર મૂક્યો. વિસ્તરણ સહકાર અધિકારી શ્રી ઉમેશભાઈ ડાંગરે સરકારની યોજનાઓની માહિતી મેળવી સમજણ પૂર્વક લાભ લેવાં તેમજ વીમા યોજના વગેરેની વિગત આપી. શ્રી નરેન્દ્રસિંહ ઝાલાનાં સંકલન સાથે અહીંયા સંસ્થાનાં શ્રી જોરશંગભાઈ પરમાર, શ્રી મહિપતસિંહ ગોહિલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી મનુભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ પટેલ, યુનિવર્સ ઉત્પાદક પેઢીનાં શ્રી તુષારભાઈ દેસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થયેલ. આ સભામાં યુનિવર્સ પેઢીનાં શ્રી મહેશભાઈ પટોળિયા, સંસ્થાનાં શ્રી લાખુભા ગોહિલ, સલાહકાર શ્રી મૂકેશકુમાર પંડિત સહિત હોદ્દેદાર સભાસદો જોડાયાં હતાં. વ્યવસ્થામાં શ્રી નયનભાઈ બાવળિયા અને શ્રી જયદીપસિંહ ગોહિલ રહ્યાં હતાં.

Related Posts