અમરેલી

મોટા આંકડીયા ખાતે ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન,વીરોને વંદન’ કાર્યક્રમ સંપન્ન

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલીના મોટા આંકડીયા ગામે જનતા વિદ્યાલયના પટાંગણમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન,વીરોને વંદન’ કાર્યક્રમ યોજાયો હતો. શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સૌ ગ્રામજનો સહિતનાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને હાથમાં માટી લઈને પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ પ્રસંગે વસુધા વંદન અંતર્ગત ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.

           દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી આ મહા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતના ગામડાઓના નાગરિકો જોડાઈ રહ્યા છે અને વધુ લોકો જોડાશે.  વિવિધ વિસ્તારોમાં અંદાજે ૧૦ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક છે. દેશના ૨.૫ લાખથી વધુ ગામોની માટી દિલ્હી ખાતે લઈ જઈને વીર-વીરાંગનાઓના સન્માનમાં અને વંદન અર્થે ભવ્ય અને દિવ્ય અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે.  આવો સૌ સાથે મળીને વીર – વીરાંગનાઓના સન્માનમાં હાથમાં દીવો લઈ અથવા વૃક્ષારોપણ કરી કે પછી માટી હાથમાં લઈને પોતાની સેલ્ફી ક્લિક કરી https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરીને આ કાર્યક્રમમાં સહભાગી બનીએ.

Related Posts