મોટા માચીયાળાથી શેડુંભારની વચ્ચે બંને ગામોને જોડતા રોડ ઉપર કોઝવે પડે છે, જે ચોમાસામાં લોકોને અવરજવર કરવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ કોઝવેમાં ખુબ જ ખાડા પડેલા હોય, જેનાથી વારંવાર અકસ્માત પણ સર્જાય છે. આ રસ્તા ઉપર એક બે વાર ડાયવર્ઝન પણ કાઢેલ હોય તેમ છતાં ત્યાં કોઈ જ પ્રકારનું કઈ બનાવવામાં નથી આવ્યું. આથી ત્વરિત મોટા માચીયાળાથી શેડુંભારની વચ્ચે બન્ને ગામોને જોડતા રોડ ઉપર સ્લેબડ્રેનેજ પુલ બનાવવાની અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પોંકિયા એ રજૂઆત કરી છે.
મોટા માચીયાળાથી શેડુંભાર વચ્ચે રોડ ઉપર તાત્કાલિક સ્લેબડ્રેનેજ પુલ બનાવવાની રજૂઆત કરતા વિપુલ પોંકિયા



















Recent Comments