ગુજરાત

મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માતજગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો; ૩ લોકોના મોત, ૨૫ ઘાયલ

અરવલ્લીના મોડાસામાં સાકરિયા પાસે જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો જેમાં, એક સરકારી અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં ૩ લોકોના કરુણ મોત નિપજ્યા હતા અને ૨૫ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે તાત્કાલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ દુર્ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જાે કે આ અકસ્માતના કારણે રસ્તો પણ અડધો કલાક માટે બંધ થઈ ગયો હતો અને આજુબાજુ ના મોટી સંખ્યામાં લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.

Related Posts