અરવલ્લીના મોડાસામાં સાકરિયા પાસે જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો જેમાં, એક સરકારી અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં ૩ લોકોના કરુણ મોત નિપજ્યા હતા અને ૨૫ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે તાત્કાલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ દુર્ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જાે કે આ અકસ્માતના કારણે રસ્તો પણ અડધો કલાક માટે બંધ થઈ ગયો હતો અને આજુબાજુ ના મોટી સંખ્યામાં લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.
મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માતજગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો; ૩ લોકોના મોત, ૨૫ ઘાયલ

Recent Comments