ગુજરાત

મોરબીમાં પ્રેમ સંબંધ મામલે યુવાનનું અપહરણ કરી તેણી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી

મોરબીમાં પ્રેમ સંબંધ મામલે યુવાનનું અપહરણ કરી માર મારી હત્યા નીપજાવવામાં આવી હતી. હત્યાના ગુનામાં તમામ ૧૧ આરોપીને ઝડપી લઇને પોલીસે વધુ તપાસ ચલાવી છે. માળિયાના મોટા દહીંસરા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ ચાર પૈકી ત્રણ આરોપીને ઝડપી લીધા છે.

તો એક આરોપી ને ઇજા થઇ હોવાથી સારવાર બાદ અટક કરશે. ઇન્દિરાનગરમાં રહેતા વિશાલ પરષોતમ માનેવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ભાઈ વિજય ઉર્ફે રવિને આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી રીક્ષામાં આવી અપહરણ કરી બેલા રોડ પર લઇ જઈને ધોકા જેવા હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી ભાઈ વિજય ઉર્ફે રવિની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં બી ડીવીઝન પોલીસે આરોપીઓ હરખજી ઉર્ફે હકો જીવન અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, વિશાલ ગાંડુભાઈ બાવરવા, જયેશ જીવનભાઈ અદગામા, કાનાભાઈ હરખજીભાઈ ઉર્ફે હકાભાઇ અદગામા, સીયારામ ગનેશ યાદવ, મનીષ અશોકભાઈ દંતેસરીયા, મેરૃ ભરતભાઈ કરોતરા, કિશોર ઉર્ફે કીશલો લાભુભાઈ વાઘેલા, સુનીલ જયંતીભાઈ જાેગડીયા અને પ્રવીણ ઉર્ફે ઉગો જગમાલભાઈ અદગામા એમ ૧૧ આરોપીને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોટા દહીંસરા ગામે શેરીમાં પાણી કાઢવા બાબતનું મનદુઃખ રાખી લાકડીઓ અને પાઈપ જેવા હથિયાર વડે ચંદુભાઈ છગનભાઈ મકવાણા અને મહાદેવભાઈ મોહનભાઈ રાઠોડને માર મારી ઈજા પહોંચાડી હતી. સારવાર દરમિયાન ચંદુભાઇનું થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માળિયા પોલીસે મારામારીના બનાવમાં હત્યાની કલમોનો ઉમેરો કરી તપાસ ચલાવી હતી અને આરોપીઓ અરુણ અવચર ઇન્દરીયા, વિજય અવચર ઇન્દરીયા અને અશોક અવચર ઇન્દરીયા (રહે. ત્રણેય મોટા દહીંસરા)ને ઝડપી લેવામાં આવ્યા છે તો સુરેશ અવચર ઇન્દરીયા (રહે. મોટા દહીંસરા)ને બનાવમાં ઈજા પહોંચી હોય જેની સારવાર ચાલી રહી છે. જેની સારવાર બાદ અટક કરવામાં આવશે.

Related Posts