ગુજરાત

મોરબી દુર્ઘટનાના હતભાગીઓના આત્માની શાંતિ અર્થે આવતીકાલે સમગ્ર રાજ્યમાં પ્રાર્થનાસભા યોજાશે

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના થતાં સમગ્ર રાજ્યમાં શોકમય વાતાવરણ છે. આ ઘટનામાં મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિઓના પરિવારોમાં પણ ઘેરા શોકની લાગણી છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે તા.૨ નવેમ્બર, ૨૦૨૨ને બુધવારના રોજ સમગ્ર રાજ્યમાં દ્વારા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં સમગ્ર ગુજરાતના ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં દિવંગત આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે.

Related Posts