ગુજરાત

મ્યુકરમાઈકોસિસનો ચેપ યુવકના મગજમાં પ્રસરી જતા તબીબો સ્તબ્ધ

કોરોનાની સારવાર બાદ સાજા થયેલા કોસંબાના યુવકને સાયનસ કે આંખમાં મ્યુકરમાઈકોસિસનો કોઈપણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ ચેપ સીધો મગજમાં પ્રસરેલો જાેઈ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
કોસંબાનો વતની ૨૩ વર્ષીય યુવક ગત તા. ૨૯ એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયો હતો. કોસંબાની હોસ્પિટલમાં સારવાર લઈ આ યુવાને ગત તા. ૪મેના રોજ કોરોનાને માત આપી હતી. દરમિયાન તા. ૮ મેના રોજ તેને અચાનક ખેંચ આવતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જાે કે, તેની તબિયતમાં કોઈ સુધારો નહીં જણાતા બીજા દિવસે સુરતની સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જરૂરી રિપોર્ટ અને તબીબી તપાસ દરમિયાન યુવકના મગજ પર સોજાે જણાતા તેનું ઓપરેશન કરવાનો ર્નિણય લેવાયો હતો.
અહીંના ન્યૂરોસર્જન ડો. હિતેશ ચિત્રોડાએ જણાવ્યું હતું કે, આ યુવકની સફળ સર્જરી થઈ હતી. આઈસીયુમાં રાખ્યા બાદ તેની તબિયતમાંસુધારો જણાયો હતો. બીજી બાજુ સર્જરી બાદ બાયોપ્સી લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાઈ હતી. દરમિયાન ઓપરેશનના ત્રણ ચાર દિવસ બાદ તેને હૃદયની તકલીફ થઈ હતી અને હૃદયની ક્ષમતા ધીમે પડતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આવેલો તેનો બાયોપ્સીનો રિપોર્ટ જાેઈ તબીબી ટીમ ચોંકી ઉઠી હતી.
આ યુવકના મગજમાં મ્યૂકરમાઈકોસિસનો ચેપ ફેલાયો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ડો. ચિત્રોડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના થયા બાદ સાયનસ કે આંખમાં મ્યુકોરમાઈકોસિસનો ચેપ નહીં હોય તેવો આ પ્રથમ કેસ કહી શકાય છે. કારણ કે, અત્યાર સુધીમાં આ પ્રકારનો કેસ કોઈ આર્ટિકલ કે મેડિકલ જનરલમાં દેખાયો નથી કે સાંભળવા મળ્યું નથી.

Related Posts