ગુજરાત

‘મ્યુકર માઈકોસીસના દર્દીઓને રાજ્ય સરકારે રામ ભરોસે છોડી દીધા’, કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે મ્યુકર માઈકોસીસના દર્દીઓને રાજ્ય સરકારે રામ ભરોસે છોડી દીધા છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે તમામ સારવાર મફત કરી છે. તો ગુજરાતમાં મ્યુકર માઈકોસીસના દર્દીઓને કેમ સારવાર મફત મળતી નથી તેવા સવાલો ઉઠાવ્યા હતા.
જરાતમાં મ્યુકર માઈકોસીસના સરકારી આંકડા મજુબ ૨ હજાર ૨૮૧ દર્દીઓ બતાવ્યા છે. જ્યારે ૧૦ હજાર જેટલા દર્દીઓ બ્લેક ફંગસમાં સપડાયા છે. ગુજરાતમાં મ્યુકર માઈકોસીસના દર્દીઓને કેમ સારવાર મફત મળતી નથી? આ સારવારના ઇન્જેક્શન પણ મોંઘાદાટ થયા છે. એમ્ફોટેરિસીન–બી ઇન્જેક્શનના રૂપિયા ૪ હજાર ૫૬૩થી રૂપિયા ૫ હજાર ૬૫૦ આપવા પડે છે.
જાે કે અગાઉનો ભાવ રૂપિયા ૨ હજાર ૯૦૦ થી રૂપિયા ૩ હજાર ૩૦૦ હતો. રેમડેસિવિર બાદ એમ્ફોટેરીસીન-બીના ઇન્જેક્શનની પણ તારીખ વગરની પ્રેસનોટ જાહેર કરાઇ હતી. કેટલા દર્દીઓને છસ્ઝ્ર હોસ્પિટલમા ઇન્જેક્શન અપાય છે તે વિગતો પણ છુપાવાઇ છે. અધિકારીઓ અધુરી વિગત આપીને કામનો દેખાડો કરી રહ્યા છે.

Related Posts