ગઈકાલે મધ્યપ્રદેશના પન્ના જિલ્લા ખાતેથી એક યાત્રિક બસ દ્વારા શ્રદ્ધાળુઓ યમનોત્રીજીના દર્શન માટે જઈ રહ્યા હતાં. પ્રાપ્ત અહેવાલો મુજબ આ બસમાં 40 યાત્રીઓ યાત્રા કરી રહ્યા હતા અને એ બસ યમુનોત્રી નજીક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 25 યાત્રાળુઓએ પોતાના પ્રાણ આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. પૂજ્ય મોરારિ બાપુએ આ યાત્રિકોના મૃત્યુ માટે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને 5000 રૂપિયાની સહાય મોકલવા જણાવેલ છે. મધ્યપ્રદેશ અને યમનોત્રીથી મરણ પામનાર લોકોની વિગતો આવ્યા બાદ કુલ રૂપિયા એક લાખ ૨૫ હજારની સહાય મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આપવામાં આવશે.પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.
યમુનોત્રી પાસે થયેલા બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ ની સહાય

Recent Comments