યુપી કેડરના આઈએએસ અધિકારી (નિવૃત્ત) અનૂપચંદ્ર પાંડેની મંગળવારે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુનિલ અરોરા મુખ્ય ચૂંટણી કમિશનર પદ પરથી નિવૃત્ત થયા બાદ પંચમાં આ પદ ખાલી હતું. કાયદા મંત્રાલયના વિધાન વિભાગે કહ્યું કે રાષ્ટ્રપતિને ખુશી છે કે ૧૯૮૪ બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી પાંડેને ચાર્જ સંભાળવાની તારીખથી જ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરશે.
ભારતના ચૂંટણી પંચની પેનલમાં ખાલી જગ્યા હતી. સુનિલ અરોરાએ ૧૨ એપ્રિલે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) ના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સુશીલચંદ્ર હાલમાં સીઈસી છે, જ્યારે રાજીવ કુમાર અન્ય ચૂંટણી કમિશનર છે. સુશીલ ચંદ્રાએ ૧૩ એપ્રિલે દેશના ૨૪ મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પદ સંભાળ્યું હતું. ૧૨ એપ્રિલના રોજ સરકાર દ્વારા સુશીલચંદ્રના નામ પર પણ મહોર લાગી હતી.
આપને જણાવી દઈએ કે અગાઉ સુનીલ અરોરા મુખ્ય ચૂંટણી કમિશનર પદની જવાબદારી સંભાળતા હતા. હવે આ પોસ્ટમાં સુશીલચંદ્રને પોસ્ટ કરવામાં આવશે. તેમનો કાર્યકાળ ૧૩ મે ૨૦૨૨ સુધી ચાલશે. ચંદ્ર ચૂંટણી પંચમાં ચાર્જ સંભાળતા પહેલા સીબીડીટીના અધ્યક્ષ હતા. સુશીલચંદ્રના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચ મણિપુર, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને યુપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવશે તેવું જાણવા મળે છે.
Recent Comments