અમરેલી

યૂરિયા ખાતરના વધારેલા ભાવ પરત ખેંચવા ધારી તા. પં. પ્રમુખ જયશ્રીબેન કાનાણીની માંગણી.*

*ધારી. તા. ૮ , ધારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ યુરિયા ખાતરના વધારેલા ભાવ પરત ખેંચવા લેખીત માંગણી કરેલ છે, ખાતરનું ઉત્પાદન કરતી ઈફકો કંપનીએ ડી.એ.પી. યૂરિયા ખાતરની એક બેગ ઉપર રૂ. ૭૦૦ જેટલો ભાવ વધારો કરેલ છે, જ્યારે એ.એસ.પી. ખાતરની એક બેગ ઉપર રૂ. ૩૭૫ જેટલો ભાવ વધારો કરવામા આવેલ છે, તેમજ એન.પી.કે. ખાતરની એક બેગ ઉપર રૂ. ૬૧૫ જેટલો ભાવ વધારો કરવામા આવેલ હોવાથી આ વધારો ખેડૂતો માટે અસહ્ય ગણાય, આટલો મોટો ભાવ વધારો કરવાથી જગતાત ઉપર આર્થિક ભારણ વધશે અને ખેડૂત ભાઈઓ મુશ્કેલીમા મુકાશે. ખેડૂતોને આવા આર્થિક ભારણમાથી બહાર લાવવા યૂરિયા ખાતરની થેલી ઉપર વધારેલ ભાવ ઈફકો કંપની પરત ખેંચે અને ખેડૂતોને આર્થિક રાહત અપાવવા ગુજરાત સરકાર દરમ્યાનગીરી કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી માંગણી ધારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુને લેખીતમા ધારદાર માંગણી કરેલ છે.*

Related Posts