‘યે હૈ ચાહતે’ની એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજા, જે દૈનિક ધારાવાહિક સીરિયલમાં ‘અહાના’નું પાત્ર ભજવી રહી છે, તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક્ટ્રેસે તેના સો.મીડિયા પર હોસ્પિટલમાંથી એક તસવીર શેર કરી હતી અને સાથે જ ફેન્સ, ફ્રેન્ડસ તેમજ શુભચિંતકોને જાણકારી આપી હતી, તેને કોવિડ-૧૯ થયો નથી. હાલમાં જ એક્ટ્રેસની એક સામાન્ય સર્જરી કરવામાં આવી છે અને હવે તેની તબિયત સારી છે.
ઐશ્વર્યા સખુજાએ હોસ્પિટલમાંથી ઘણી તસવીરો શેર કરી હતી અને એક તસવીરમાં હોસ્પિટલમાં તેનો પતિ રોહિત પણ જાેવા મળ્યો હતો.
ઐશ્વર્યા સખુજા, જે પોતાની સીરિયલ ‘યે હૈ ચાહતે’નું શૂટિંગ કરી રહી હતી તેણે પોતાના શોમાંથી બ્રેક લીધો હતો અને બે અઠવાડિયા પહેલા જ ગોવાથી મુંબઈ આવી હતી.
એક્ટ્રેસે જણાવ્યું, ‘મેં શોમાંથી બ્રેક લીધો છે અને મુંબઈ પરત આવી છું. જ્યાં સુધી મને રસી નહીં મળે ત્યાં સુધી હું પરત જવાની નથી. આ મારા પરિવાર દ્વારા મને આપવામાં આવેલું અલ્ટિમેટમ છે. તેમણે મને પરત આવવા કહ્યું હતું અને ખાસ કરીને આ સમયમાં પોતાને ખતરામાં ન મૂકવા જણાવ્યું હતું. તેમના દ્વારા મને અન્ય કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી’.
ગોવામાં શૂટિંગ કરવાનો અનુભવ જણાવતા ઐશ્વર્યા સખુજાએ કહ્યું, ‘એટલો પણ સારો નહીં, મને સહેજ પણ મજા આવતી નહોતી. હું ખૂબ તણાવમાં રહેતી હતી કારણ કે દર કલાકે મારા પરિવારનો ફોન આવતો હતો અને હું ક્યારે પરત ફરીશ તેમ પૂછતા હતા. મારો પરિવાર મારા કારણે આટલો તણાવ લે તેમ હું ઈચ્છતી નહોતી કારણ કે મેં કામ કરવાનું પસંદ કર્યું હતું તેમણે નહીં. આ સિવાય આસપાસ પણ એક ડરનું વાતાવરણ હતું. હું સમજુ છું કે, શો મસ્ટ ગો ઓન અને જ્યારે હું તણાવમાં હોવ અથવા ડરનું વાતાવરણ હોય ત્યારે મને અંગત રીતે કામ કરવાનું ગમતું નથી. તેથી જ મેં ગોવાથી મુંબઈ પરત આવવાનો ર્નિણય લીધો હતો’.
Recent Comments