રક્ષા મંત્રી રાજનાથ સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (છૈંૈંસ્જી)ના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કમરના દુખાવાથી પરેશાન છે. ન્યુરો સર્જન ડો.અમોલ રહેજાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં હોસ્પિટલે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી સાંસદ છે. તેમનો જન્મ ૧૦ જુલાઈ ૧૯૫૧ના રોજ યુપીના વારાણસી જિલ્લાના ભાભોરા ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો.
તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી છે. એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર રાજનાથ આજે દેશની રાજનીતિમાં એક મોટું નામ છે, તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. રાજનાથ સિંહ માત્ર ૧૩ વર્ષની ઉંમરે ઇજીજીમાં જાેડાયા હતા. ૧૯૭૭માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ જયપ્રકાશ નારાયણના આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા. ૧૯૭૫માં જ્યારે ઈમરજન્સી લાગુ કરવામાં આવી ત્યારે રાજનાથને પણ જેલમાં જવું પડ્યું હતું.
જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૯૧માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર ઉત્તર પ્રદેશમાં પોતાની સરકાર બનાવી ત્યારે રાજનાથને શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, વર્ષ ૨૦૦૦ માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા. સિંહ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ૨૦૧૪માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતની સરકાર સાથે સત્તામાં આવ્યો ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી. રાજનાથ સિંહ બિન વિવાદાસ્પદ નેતાની છબી ધરાવે છે. જ્યારે પણ પક્ષની સામે કોઈ જટિલ મુદ્દાની વાત આવે છે, ત્યારે રાજનાથ મુશ્કેલીનિવારકની ભૂમિકા ભજવતા જાેવા મળે છે.
Recent Comments