ગુજરાત

રાજકોટના રામનાથ પરામાંથી ૧૨૫૦ કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયોમોટાભાગની ચોકલેટ ચીનમાંથી આયાત કરવામાં આવી હતી

રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી સ્ટોરમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. આ દુકાનમાંથી ૧૨૫૦ કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો છે. જેમાં મોટાભાગની ચોકલેટ ચીનમાંથી આયાત કરવામાં આવી છે. ચીનથી આયાત કરાતી ચોકલેટમાં ઉત્પાદકનું નામ અને ઉપયોગની તારીખનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. તેમજ દુકાનમાંથી એક્સપાયરી થયેલી ચોકલેટનો જથ્થો પણ મળી આવ્યો છે.

આ દુકાનમાં હ્લજીજીૈંના નિયમોનું ઉલ્લંઘન કરતી અનેક પ્રોડક્ટ મળી આવી છે. તેમજ ચીનથી આયાત કરાયેલી ચોકલેટના બોક્સ પર નોન-વેજનું ટેગ પણ હોવાનું પણ સામે આવ્યું છે. દુકાનમાં દરોડા દરમિયાન કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની ૧૨૫૦ કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. મહાનગરપાલિકાએ ચોકલેટના વેપારીને નોટિસ ફટકારી છે. મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યો છે. હાલ તો મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં હવે ભેળસેળવાળી વસ્તુઓનું માર્કેટ મોટું થઈ રહ્યું છે. ગુજરાતમાં હવે દૂધથી લઈને ખાણીપીણીની દરેક વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. હવે બાળકોની ચોકલેટમાં પણ ભેળસેળ વધી રહી છે.

Follow Me:

Related Posts