રાજયભરમાં ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે .ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી રહ્યા છે.ત્યારે રાજકોટ જિલ્લાના ૫૮૯ ગામડા માંથી ૧૨૯ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે જે કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા દર્શાવે છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેકસીનેશન પણ વધારવામાં આવ્યું છે. જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુને વધુ વેક્સિન લઈ રહ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સાંકળ તોડવા શહેરો – ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન,જસદણ, ઉપલેટા, ફલ્લા, આંકોલવાડી, વિંછીયા, શહેર – ગામમાં પણ નિયત સમયનાં જનતા કફ્ર્યુ.
ગુજરાતમાં પણ કોરોના મહામારી બેકાબૂ બની ગઇ છે ત્યારે સરકારે તો લોકડાઉનનો ર્નિણય નહીં લેતાં હવે સૌરાષ્ટ્રમાં ભારે ગભરાટનાં માહોલ વચ્ચે કોરોનાની સાંકળ તોડવા સંખ્યાબંધ શહેરો – ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થવા લાગ્યા ત્યારે શહેરના લોકો કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. જેને લઈને જ ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ આવ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ૫૮૯ ગામડા માંથી ૧૨૯ ગામડાઓમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને એ પણ સ્વૈચ્છિક. જે સાબિત કરે છે, કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેકસીનેશન પણ વધારવામાં આવ્યું છે. જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુને વધુ વેક્સિન લઈ રહ્યા છે.
Recent Comments