સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની પૂર્વ બેઠક પર ઓબીસી દાવેદાર ખીમા મકવાણા અને દક્ષિણમાં જયંતી સરધારા!

વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-સાર જાેરશોરથી કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. જાેકે, ભાજપ આગામી ૨૭થી ૨૯ સુધી ઉમેદવારોની સેન્સ લેવાનું છે ત્યારે સેન્સ પૂર્વે રાજકોટની પાટીદાર પ્રભુત્વ ધરાવાતી પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ટિકિટ માટે ઘમાસાણ થઈ છે. બન્ને બેઠક પર હવે નવા દાવેદારોના નામ સામે આવ્યા છે. પૂર્વ બેઠક પર ઓબીસી દાવેદાર ખીમા મકવાણા અને દક્ષિણમાં જયંતી સરધારાનું નામ સામે આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આગામી ૨૭, ૨૮ અને ૨૯ ઓક્ટોબરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવનાર છે. આ સેન્સ પૂર્વે બેઠક પર કેટલાક નવા નામો સામે આવ્યા છે.

ખાસ કરી રાજકોટ પશ્ચિમ બેઠક કે જ્યાંથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને બાદમાં મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. જાેકે, આ બેઠકમાં વર્તમાન ધારાસભ્ય વિજય રૂપાણી છે કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે. ત્યારે આ બેઠક પર સંઘ સાથે જાેડાયેલાને ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં પ્રથમ નામ ડો. દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ અને કમલેશ મિરાણીનું ચર્ચાઈ રહ્યું હતું. જાેકે, હવે અચાનક આ બેઠકમાં વધુ એક દાવેદાર તરીકે એડવોકેટ અનિલ દેસાઈનું નામ સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં પાટીદાર પ્રભુત્વ વાળી કુલ બે બેઠક છે, જેમાં રાજકોટ દક્ષિણ અને રાજકોટ પૂર્વનો સમાવેશ થાય છે. જેમાં વર્તમાન ધારાસભ્ય તરીકે રાજકોટ પૂર્વમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય છે અને દક્ષિણ બેઠક પર પૂર્વ કૃષિમંત્રી અને ભાજપના પીઢ નેતા સમાન ગોવિંદ પટેલ ધારાસભ્ય તરીકે કાર્યરત છે.

પૂર્વ બેઠક પર મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય જરૂર છે પરંતુ અહીંયા તેમનો વિરોધ જરૂર સામે આવી રહ્યો છે અને પાટીદાર બાદ કરતા ઓબીસી નેતા તરીકે ખીમા મકવાણાએ ટિકિટની માગણી કરી છે. જ્યારે દક્ષિણ બેઠક પર ખુદ ગોવિંદ પટેલે ફરી દાવેદારી નોંધાવી છે. જેની સાથે સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ પણ દાવેદારી નોંધાવી છે. આ બધા વચ્ચે રાજકોટ દક્ષિણ બેઠક પરથી પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ જયંતી સરધારાએ પણ દાવેદારી નોંધાવી પોતાનો બાયોડેટા પાર્ટી સમક્ષ રજૂ કર્યો છે. જાેકે, તેઓનું કહેવું છે કે, જાે પાર્ટી ગોવિંદ પટેલને ફરી રિપીટ કરે તો આ ર્નિણય તેમના માટે શિરોમાન્ય રહેશે અન્ય કોઈને આપવા માંગતા હોય તો તેમને આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

ત્યારે સેન્સ પૂર્વે લોબિંગ સામે આવી રહ્યા છે અને દાવેદારોએ પોતાના બાયોડેટા પાર્ટી સમક્ષ રજૂ કરી દીધા છે. જાેકે, એક વાત સ્પષ્ટ છે કે આ વર્ષે ભાજપ સૌરાષ્ટ્રમાં કોઈ કમી છોડવા માંગતુ નથી અને સિક્યોર સીટ પર કોઈ ખેલ રમવા માગતું નથી ત્યારે સેન્સ બાદ કોના શિરે ઉમેદવારીનો કળશ ઢોળવામાં આવશે તે જાેવું મહત્ત્વનું રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન તેમજ ઉત્તરપ્રદેશ સહિત ગુજરાતમાં પણ આગલી વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી તરીકે પણ ફરજ નિભાવી ચૂકેલા ડો.ધનસુખ ભંડેરીએ પણ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવી છે. અગાઉ અનેક વખત ચૂંટણી પૂર્વે નામો ચર્ચામાં રહ્યા બાદ ટિકિટ ન મળતા આ વખતે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ દ્વારા તેમના પર પસંદગી કળશ ઢોળવામાં આવશે કે પછી આ વર્ષે પણ તેમની ધારાસભ્ય બનવાની આશા અધૂરી રહેશે તે જાેવું મહત્વનું રહેશે.

Related Posts