રાજકોટ શહેરમાં જાણે સરકારી તંત્ર દ્વારા કોવિડમાં કાર્યરત ફ્રન્ટલાઈન વોરિયર્સ સાથે અન્યાય થતો હોય તેવા દ્રશ્યો છેલ્લા ૨ અઠવાડિયાથી સર્જાય રહ્યા છે. જેમાં તબીબી શિક્ષકો, એટેન્ડન્ટ, નિષ્ણાત તબીબો બાદ હવે કોવિડ સેન્ટરોમાં કાર્યરત નર્સિંગના બીએસસી નર્સિંગ, જીએનએમ ફેકલ્ટીના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ પગાર મુદ્દે તંત્રની સામે વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે નર્સિંગ સ્ટાફના પગાર મુદ્દે એનએસયુઆઇના સભ્યો જિલ્લા કલેક્ટર પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરને રજુઆત કરે એ પહેલા જ પોલીસ દ્વારા ટિંગાટોળી કરી તેમની અટકાયત કરવામાં આવી હતી.
એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરાનાની ખરાબ પરિસ્થિતિ સમયે વિદ્યાર્થીઓને લાલચ આપી હતી. હવે સ્થિતી સુધરતા મુર્ખ બનાવામાં આવે છે. આ તમામ વિદ્યાર્થીઓને પોતાની હક્કનો પગાર મળવો જાેઈએ. કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર એકબીજાને ખો આપી મુર્ખ બનાવે છે. જાે આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો એનએસયુઆઇ વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે.
આ અંગે વાત કરતા વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, હાલ સરકારી કોવિડ હોસ્પિટલોમાં ફરજ બજાવતા મ્.જષ્ઠ. નર્સિંગ, જીએનએમ ફેકલ્ટીના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ ફરજ બજાવે છે જે કોરાનાની અતિ ગંભીર પરિસ્થિતિ સમયે તંત્રના આદેશથી આ તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત ડ્યુટી પર રહેવા આદેશ કર્યા હતા. તે સમયે જિલ્લા કલેક્ટરે તમામ ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને રુ ૨૨,૦૦૦ જ પગાર આપવા લેખિત આદેશ કર્યો હતો.
Recent Comments