ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.૫માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લાખુભા ચુડાસમા તથા માતા અને બહેન સાથે ટીવી જાેતા હતા. રાત્રે ૧૨ વાગ્યા આસપાસ પરિવારજનો સુવા માટે ઉપરના રૂમમાં જતા પહેલા યુવરાજસિંહને પૂછતા ‘તમે જાવ હું ટીવી જાેઇને આવું છું’ તેમ કહેતા પરિવારજનો ઉપરના રૂમમાં સુવા માટે ગયા હતા. પુત્ર સુવા ન આવતા પિતા તેને બોલાવવા માટે નીચે ઉતરતા યુવરાજસિંહ સેટી ઉપર લોહી-લુહાણ હાલતમાં જાેવા મળતા પિતાએ દેકારો મચાવતા પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સેટીની બાજુમાં પિતાની શોર્ટગન પડેલી જાેઇ યુવરાજસિંહએ શોર્ટ ગનથી પોતાની છાતીની ડાબી બાજુ ફાયરીંગ કરી આપઘાત કરી લીધો હતો. બાદ પરિવારજનોએ તાકિદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી મીતેશભાઇ મોરી અને પાઇલોટ ગોપાલભાઇ ડાંગરે તાકીદે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને યુવાનના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક યુવરાજસિંહ એક ભાઇ અને એક બહેનમાં નાના હતા. બંને અપરણીત છે. પિતા એસઆરપીમાં ફરજ બજાવતા હતા તે નિવૃત્ત થયા બાદ જીમ્ૈં બેંકમાં સિકયુરીટીગાર્ડ તરીકે નોકરી કરતા હોવાથી તેની પાસે પરવાનાવાળી શોર્ટ ગન છે. પુત્ર યુવરાજસિંહ સરકારી નોકરી માટે પરિક્ષાની તૈયારી કરતા હતા. તેણે અગાઉ આર્મીની પરિક્ષા પણ આપી હતી. તે રાત્રે પરિવારજનો સાથે ટીવી જાેતા હતા. પરિવારજનો ઉપરના રૂમમાં સુવા માટે ગયા બાદ પાછળથી તેણે આ પગલુ ભરી લીધું હતું. પરિવારજનો જાગી ન જાય તે માટે ટીવીનો અવાજ ફુલ રાખ્યા બાદ શોર્ટ ગનથી ભડાકો કર્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું ચોક્કસ કારણ જાણવા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ આર.જે.કામલીયા સહિતે તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મૃત્યુથી ચુડાસમા પરિવારમાં ગમગીની છવાઇ છેરાજકોટમાં ફરી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં નિવૃત જીઇઁ મેનના પુત્રએ પરિવારજનોને ‘તમે જાવ હું ટીવી જાેઇને આવું છું’ કહેતા પરિવાજનો ઉપર રૂમમાં સુવા ગયા હતા. એ સમયે યુવકે ટીવીનું વોલ્યુમ વધારી પિતાની શોર્ટગનમાંથી ફાયરિંગ કરીને જીવન ટૂંકાવ્યું હતું. હાલ ભક્તિનગર પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં નિવૃત એસઆરપીના પુત્રએ ફાયરિંગ કરી જીવનનો અંત આળ્યો

Recent Comments