રાજકોટમા એક ખુબજ આઘાતજનક ઘટના બની હતી જેમાં, એક નેપાળી પરિવારની બે માસૂમ બાળકીના રૈયા ગામના શિલ્પન ઓનેક્સમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત થયા છે. જે માસૂમ બાળકીઓ મોત થયું છે તે બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે. અગાઉ નેપાળી પરિવારના પુત્રનું ડૂબી જતા મોત થયું હતુ. નોંધનીય છે કે, રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. મળતી જાણકારી પ્રમાણે પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની બાળકીઓના થયાના સમાચાર સામે આવ્યા છે. થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ પણ તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં નેપાળી પરિવારની ત્રન વર્ષની બે બાળકીના ડૂબી જતા કરુણ મોત

Recent Comments